Readers

Wednesday, April 29, 2026

યાત્રા -મૂર્તિમંત બાલી -ભાગ 2 { 1 થી 3 }

                                   

                                           યાત્રા -મૂર્તિમંત બાલી -ભાગ 2 { 1 થી 3 }

               તારીખ 7 મી એપ્રિલ  મંગળવાર સવારે હોટેલમાં સવારનો નાસ્તો પતાવી પાંડવ બીચ તરફ પ્રયાણ. બાલી બીચ  ટાપુ હોવાને કારણે અનેક અહીં બીચ વધારે લોકપ્રિય છે.પાંડવ બીચ નામાભીધાનનું કારણ અહીં પાંચ પાંડવ અને કુંતીની પ્રતિમા છે.અહીં ઘણી  પાણી ની રમતો ગોઠવાય છે   વિશાળ  રત્નાકર ના ઉછળતાં મોજાં  દૂર આવેલ પર્વતમાળા આંબવા મથતા જોવાનો એક વિશેષ લહાવો છે.ત્યાંથી બપોરે ઉલુવાતુ Uluwatu  મંદિર 



.સમુદ્રના મોજાની લહેરો વચ્ચે  ઊંચી ખીણ પર આવેલું આ મન્દિર  ભવ્ય છે જ્યાં  ભગવાન શિવ  રુદ્ર નું પ્રસ્થાપન છે એવું મધદરીએ આવેલું 70 મીટર ઉન્નવહુ  ઉલુવાતું મંદિર ની પ્રતિષ્ઠાનો ઇતિહાસ અજાણ છે પણ નવમી સદી માં તે ઓળખાયું અને 11 મી સદી માં રાજા Msula-Masuli { ઉચ્ચાર એમને પૂછી આવવા } એ તેને સુગ્રથિત કર્યું.પ્રત્યેક બાલી વાસીના મનમાં એવી પાક્કી આસ્થા છે દરિયારી માર્ગે આવતી તમામ નકારાત્મક ઘટનાઓ ને આ મંદિર રોકે છે.સંભવ છે કે એ વખતે દરિયારી ચાંચિયાઓ નું વિશેષ પ્રભુત્વ હોઈ શકે.અહીં 210 દિવસ જેટલો લમ્બો ઉત્સવ પણ ઉજવાય છે..હોટેલ પર પરત આવીને કથા રસપાન .રાત્રે ભારતીય ભોજનાલયમાં  ભોજન લઇ હોટેલ પરત..

             તારીખ 8 મી એપ્રિલ બુધવાર સવારના નાસ્તા પછી આજે સવારે જ કથા શ્રવણનો લાભ લીધો. બપોરે બે બીચ જવાનું હતું.Jimbaran Beach આ ટાપુની ગરદન સમાન છે.અનેક રીઝોર્ટસ પણ આસપાસ છે. આ બીચ  તત્કાલ  દરિયાઈ જીવ ના જીવંત ભોજન માટે પ્રચલિત છે પણ આપણે ગુજરાતીઓને એ વિષે જાણવાની કે જોવાની શી જરૂર ? અને Nusa Dua Beach . આ બીચ ખુબ વિશાળ છે કારણકે અહીં બે ટાપુ જોડાયેલા છે.બાલી ભાષા માં Nusa એટલે ટાપુ અને Dua એટલે બે .અને આ ટાપુ નું નામ એ પરથી પડ્યું છે.પાસેના નાના ટાપુ પર 'ધર્મ નું મંદિર ' છે {  સંભવતઃ  યુધિષ્ઠિર નું હોઈ શકે.}. જો કે જય શકાતું નથી.અહીં પુષ્કળ પ્રમાણમાં અનેક દરિયાઈ  રમતો વિકસેલી છે.લોકોનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર સમો આ ટાપુ છે. અહીં એક વિશેષ રોચક અનુભવ કરવાનો હતો.જેમને અનુકૂળ હતું તેઓ તેમાં જોડાયા.સમુદ્રમાં ફેરી સર્વિસ દ્વારા ચાલીસેક મિનિટની મુસાફરી કરીને Tortoise Beach ગયા.કાચબા ઉછેર કેન્દ્ર. અતિ વિશાળ કાચબાઓ અને સાવ નાના બાળ. કાચવા પણ જોયા.ઘુવડને ખભા પર બેસાડીને ફોટા પણ પડાવ્યા Nusa Dua. Beach   પર પરત આવી.

            ત્યાંથી Caruda Wishu Kenchana Cultural  Park { GWK } ગરુડની ખુબ ઊંચી કદાવર પ્રતિમા જોવા ગયા 60 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ પાર્કમાં 120 મીટર ઊંચી વિશાળ ગરુડજી પર વિરાજમાન ભગવાન વિષ્ણુની પ્રતિમા છે. એક કથા અનુસાર સમુદ્ર મંથન થી પાછા ફરતા  ગાર્યદજી એ શરતે ભગવાન વિષ્ણુને  સવારી કરવા દેવા સહમત હતા કે ભગવાન ગડ઼ુદજીની માતા ને મુક્તિ અપાવશે. 2018માં આ પાર્કને પૂર્ણ રીતે વિકસાવ્યો છે.અહીં ગણેશજીની પણ એક કદાવર પ્રતિમા છે..અહીં દરરોજ સાંજે સ્થાનિક ભાષામાં  રામાયણનો  એક  પુરાણ પ્રસંગ ની નૃત્ય નાટિકા ભજવાય છે જે જોવાનો લ્હાવો પણ લીધો.બેટરી કારની સુવિધા હોવાથી છેક ઉંચે સુધી ગરુડજીનાં સ્થાપત્ય સુધી પણ ગયા.રાત્રી ભોજન બાદ હોટેલ પરત.

                તારીખ 9 મી એપ્રિલ   ગુરુવાર .સવારે Goa Galah  .

Goa Gajah ને Elephant Cave તરીકે પણ ઓળખવામાં આવે છે.ગુફામાં સરળતાથી પ્રવેશ થાય છે.અંદર શિવલિંગ ,શ્રી ગણેશ અને અન્ય પ્રતિમાઓ  છે.ઈ.સ. 1365 માં જાવાનિઝ કવિતામાં જેનો ઉલેખ્ખ છે એવી આ ગુફા જો કે 1950 માં પ્રકાશમાં આવી.ગુફાને વિશ્વ વારસામાં પણ સમાવવામાં આવી છે. ગુફા મંદિરમાં નિશ્ચિત વસ્ત્ર { લૂંગી કે ખેસ } પહેરીને જ પ્રવેશ કરવાનો હોય છે.અહીં એક વિશેષ વાત એ છે કે સાત ભારતીય નદીઓ ગંગા,યમુના સરસ્વતી સીબધું,ગોદાવરી કરેરી અને નર્મદા ની મુતરીઓ છે. પણ છે.  ત્યાંથી Tirta  Empul    અને પવિત્ર ઝરણાં યુક્ત મંદિરની મુલાકાત

Tirta Empul  ભવ્ય મંદિર છે.ઈ.સ. 962 માં તે સ્થળે ત્યાં પાલાલઃ જળ પ્રાપ્ત થયું.શ્રધ્ધાથી તેઓ તેને પવિત્ર અમૃત જળ ગણે છે.અહીં સ્નાન માટે મોટા હોજ  બનાવાયા છે  ત્રીસ જેટલા ગો મુખ માંથી નીકળતા જળ થી તે સતત તાજા પાણીથી ભરાય છે.જેમાં નક્કી કરેલાં પવિત્ર વસ્ત્રો પહેરીને સ્નાન કરી કૃતકર્ટી થવાય છે.ત્રણ ભાગમાં વિસ્તારિત મંદિરમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે..હોટેલ પ્રાપ્ત.કથારસપાન ભારતીય ભોજનયમાં ભોજન..

યાત્રા - મૂર્તિમંત બાલી ભાગ 1 { 1 થી 3 }

    


                                   મૂર્તિમંત બાલી     ભાગ 1 { 1 થી 3 }

     \   વિમાનીમથકે પરની બહાર પગ મુકો કે ભગવાન વિષ્ણુની ભવ્ય પ્રતિમા તમારું સ્વાગત કરે

                         शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं  विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्

                         कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ॥



            હિન્દ મહાસાગર અને પેસેફિક મહાસાગરની વચ્ચે આવેલો ઇન્ડોનેશિયા ટાપુ દેશ 17000 જેટલા નાના મોટા ટાપુઓ સમૂહ છે.જેમાંથી 80  જેટલા ટાપુ  વિશેષ ગતિશીલ છે.જાકાર્તા તેની રાજધાની છે .બાલી ટાપુ એ ઇન્ડોનેશિયાનો સમૃદ્ધ જિલ્લો- ટાપુ છે. જેની વસતી આશરે 45 લાખની છે.

               86 ટકા હિન્દૂ વસતી ધરાવતા બાલીમાં અનેક  પ્રાચીન મંદિરો છે. જ્યાં પ્રત્યેક ચાર રસ્તા ની  મધ્યમાં તો કોઈ ને કોઈ દેવ દેવીની પ્રતિમા તો અચૂક હોય જ એવાં .મૂર્તિમંત બાલી તો દર બે પાંચ મીટર પસાર કરો કે કોઈ ઘર પર તો કોઈ માર્ગ પર  દેવદેવીની વિશાલા મૂર્તિ અચૂક નજરે પડે જ .જો બાલીની મૂર્તિની  ગણતરી થાય તો લોકો કરતા મૂર્તિની સંખ્યા ચોક્કસ વધુ હોય.લોકો  આસ્થા અને શ્રધ્ધા ને પ્રત્યક્ષ રૂપ માં રાખીને જીવે છે એ ખુબ મોટી વાત છે. 87 % થી વધુ હિન્દૂ ધર્મ ધરાવતા બાલીમાં 8 મી સદી થી હિન્દૂ ધર્મ પ્રસ્થાપિત થયો છે માર્કંડેય ઋષિની વિચારધારા થી ધર્મ સ્થપાયો અને ખાસ તો  માતારામ રાજ્ય શાસન વખતે તેને પ્રબળ વેગ મળ્યો.મહાભારત ,રામાયણ  { મુખ્યત્વે દક્ષિણ ભારતીય }ગ્રંથને આદર કરે છે.અહીં બ્રહ્મા,વિષ્ણુ મહેશ અને માતા કાળી પૂજાય છે.સ્થાનિક ધર્મ દેવતાઓ પણ ખરા .



               પ્રઃવાસન એ લોકોની મુખ્ય આવકનું સાધન છે.મધ્યમ જીવન જીવતા પરિવારોમાં મુખ્યત્ત્વે હોટેલ,ગાઈડ કે દરિયાઈ બીચ પરના વ્યવસાયમાં હોય છે.મૉટે ભાગે પરિવારના બધા સભ્યો વ્યવસાયી હોય છે  ઈન્ડોનેશિયન રૂપિયાનું મૂલ્ય ખુબ નીચું છે.એક ભારતીય રૂપિયાના આશરે 170  ઈન્ડોનેશિયન રૂપિયા આવે.,એક અમેરિકન ડોલરના આશરે વીસહજાર .ઈન્ડોનેશિયન રૂપિયા આવે.અહીં ઉનાળો અને ચોમાસુ છે.શિયાળો છે જ નહિ. અંગ્રેજીનું પ્રભુત્ત્વ ખુબ ઓછું છે એટલે વિદેશી નાગરિકોને થોડી વિશેષ તકલીફ પડે. અલબત્ત તેમની પોતાની લિપિ નથી એવું લાગ્યું એટલે જ કદાચ  સૂચના અને વર્ણન તો અંગ્રેજી લિપિમાં હોય પણ સમજાય નહિ .Tundas એટલે શૌચાલય 

              Tourisque Tracel Agency  રાજકોટ દ્વારા આયોજિત બાલી  { ઇન્ડોનેશિયા } ખાતે  તારીખ 5 એપ્રિલ 2026 થી 12 મી એપ્રિલ 2026 સુધી શ્રી વિષ્ણુપુરાણ કથાના આયોજનની વિગત મળી.' વિષ્ણુપુરાણ ' માં જ Ph .D ની પદવી  મેળવનાર ડો.કવિતાબેન ઠાકર જોશી ના સ્વમુખે આ કથા થવાની હતી.તક ઝડપી લીધી કારણકે અહીં તો યાત્રા અને પ્રવાસનો સુભગ સમન્વય અને તે પણ સનાતન સંસ્કૃતિના ચાહક દેશમાં.

           .અમદાવાદથી બાલી  વિમાન દ્વારા જવા થી માંડીને તમામ આયોજન ટ્રાવેલ એજન્સી દ્વારા જ હતું એટલે વધારે સરળ હતું. અમે  { દિનેશ } અને  રંજના } પણ જોડાયા અને પછી તો 120 થી પણ વધારે  સહપ્રવાસી બન્યા. વિશેષ શાંતિ એટલે હતી કે એજન્સીના શ્રી પંકજભાઈએ ટિકિટ ,વિઝા ,અને બાકીની વ્યવસ્થા  સંભાળેલી અને શ્રી ધર્મેશભાઈ ,શ્રી રાજભાઈ તો સાથે જ હતા. સમગ્ર પ્રવાસ દરમિયાન દરરોજના બપોરના ભોજનના વિકલ્પે તેઓ એ સર્વે ને પૂરતા થેપલા,ઢેબરાં ભાખરી અથાણા સાથે આપ્યા એટલે એને જોતાવેંત જ  એરપોર્ટ  માં પાણી આવી ગયા.

               તારીખ 5 મી એપ્રિલ ના રવિવાર રાત્રે 11.45 વાગ્યે અમદાવાદ સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થી  સહયાત્રીઓ સાથે પ્રસ્થાન થયું. સાડા પાંચ કલાકના પ્રવાસ પછી કુઆલામ્પુર { મલેશિયા } થી થોડા વિરામ બાદ વિમાન બદલ્યું .ત્યાંથી બીજા ત્રણ કલાકના ઉડ્ડયન પછી  સોમવાર  6 ઠઠી તારીખે સાંજે 6 વાગ્યે Denspar ,(Denpasar) (DPS) -બાલી  વિમાની મથકે પગ મુક્યો

             ટ્રાવેલ એજન્સીના પ્રતિનિધિ ચાર બસ સાથે ઉપસ્થિત.ચાર તારક હોટેલ Fairfield Merriot પર પહોંચ્યા.તાજા માજા થઈને થોડે દૂર ભારતીય ખાણા વાળા ભોજનાલયમાં. .પરત આવીને હોટેલના જ વિશાળ ખંડમાં પોથી પધરામણી અને શ્રી કવિતાબેન દ્વારા કથા પ્રારંભ થયો.મંગલાચરણ અને વિષ્ણુપુરાણ વિશેની પ્રારંભિક વાત થઇ


   વધુ વાત ભાગ બે માં 

   દિનેશ લ. માંકડ 

    ચલિત દુરભાષ 9427960979 


Tuesday, March 17, 2026

ટાલ એટલે માલામાલ

                                             

                              ટાલ એટલે માલામાલ                દિનેશ લ. માંકડ

          જૂની રમૂજ યાદ આવી ગઈ. ચલચિત્ર જોવા ગયેલા બે ટીખળી મિત્રો અનિલ અને બકુલ  વચ્ચે શરત લાગી.આગળ બેઠેલા ટાલ વાળા ભાઈને જો ટપલી મારે તો સામેવાળો પાંચસો રૂપિયા આપે. પહેલો વારો અનિલનો હતો.ચલચિત્ર શરુ થયું.અંધારું છવાયું.અનિલે આગળવાળા ટાલગ્રસ્ત ભાઈને જોરથી ટાપલી મારીને તરત બોલ્યો ,કેમ છો પોપટ ,ઘણા દિવસે મળ્યો.'- પેલા ભાઈ ગુસ્સામાં ઉભા થયા ને બોલ્યા,' હું પોપટ નથી અને તમને ઓળખતો પણ નથી સમજ્યા.' અનિલે માફી માગતાં કહ્યું,'સોરી પણ મારા મિત્ર પોપટની ટાલ પણ તમારી ટાલ જેવી જ છે એટલે ભૂલ થઇ.'  હળવેથી બાજુમાં બેઠેલા બકુલ પાસેથી પાંચસો રૂપિયા સેરવી લીધા.

           મધ્યાન્તર પછી બકુલનો વારો હતો .પણ એ ઓછો સાહસિક હતો એટલે એણે છટકી જવા,  અનિલ પાસે નવી શરત મૂકી.' મારે બદલે તું જ એ ભાઈને બીજી વાર ટાપલીદાવ કરે તો હું તને હજાર રૂપિયા આપીશ.ન મારી શકે તો તારે મને પાંચસો જ આપવાના.' અનિલે શરત મંજુર રાખી.અને ફરી એક વાર ....એક જોરદાર ટાપલી એ જ  ટાલ વાળા ભાઈને દઈ દીધી .અને ખુબ ઝડપથી બોલ્યો,' એલા  પોપટ હમણાં મધ્યાન્તર પહેલાં તારા જેવા જ એક ભાઈ મારી આગળ બેઠેલા ને મેં ભૂલથી બિચારા એમને ટાપલીદાવ કરેલો.ખરું થયું નહિ  પોપટ ? '-

            આ વખતે પેલા ઈજાગ્રસ્ત ભાઈનો મગજનો પારો 100 ડિગ્રી ઉપર હતો.' અરે ભાઈ ,તમે પહેલીવાર પણ મને જ ટાપલી મારેલી.એનો દુખાવો મટ્યો નથી ત્યાં ફરીને મને જ પાછો પોપટ સમજીને પાછી ટાપલી મને જ મારી.સમજો છો શું તમારા મનમાં ? ' – “ ભાઈ બુલ થઇ ગઈ .માફ કરજો..અંધારામાં દેખાયું નહિ.મને એમ કે પોપટ મારી આગળ બેસવા આવી ગયો હશે.'  હજાર રૂપિયા અનિલના  ખિસ્સામાં આવી ગયા..ચલચિત્ર પૂરું થયું બંને ઘર ભણી અને પેલા ભાઈ વાળ ઉગાડવાની દવા લેવા.     

          આ લેખ માત્ર ને માત્ર પુરુષોને સમર્પિત છે.બહેનો ફક્ત વાચક જ બની શકશે. હા,, ઘરમાં કોઈ પરિવાર જન ને ટાલ હોય તો ફકત નિરીક્ષણ કરવાની  છૂટ. .હાથ ફેરવવાનું કે ટીકા કરવાનું દુષ્કૃત્ય ન કરવું.

          સામાન્ય રીતે પતિ તરીકે બહેનો વાળ વાળાને જ પસંદ કરે છે.એને  કારણે લગ્ન પછી ટાલ પડવાનું કારણ લોકો, લગ્ન ગણે છે પણ એ સદંતર ખોટું છે કારણકે કેટલીય વાર જ્યાં ટાલ વાળા યુવાનો પસંદગી પામે છે તે કન્યાઓ  ખુબ નસીબદાર  બને છે.

           ટાલ ને ઘણા લોકો આર્થિક સ્થિતિ સાથે જોડે છે.અને ઘણા અંશે તે સાચું પણ છે.એટલે જ લેખનું મથાળું ' ટાલ એટલે માલામાલ રાખ્યું છે.ટાલ વાળા મિત્રો આર્થિક રીતે સમૃદ્ધ હોવાના ઘણા કારણો છે.સૌથી અગત્યની બચત સાબુ અને તેલનો  નહિવત ખર્ચ .એટલે મોટી બચત. નથી માનવું ને ? લ્યો,કરો ગણતરી. સ્નાનાર્થે વપરાતો મહિને ત્રણ સાબુ.વાર ગણો તો માથું ધોવાનો ભાગ બાદ કરીએ તો માત્ર  મહિને એક સાબુ.. બાર મહિનાના ચોવીસ સાબુની બચત.

        માથાનું સારી જાતનું તેલ મોંઘુ જ આવે છે.ઘરના ટાલ વાળા પરિજનનો વર્ષ આખાનો વપરાશ માત્ર પાંચસો એમ.એલ. જ હોય.એટલે જો ઘરમાં જો ટાલવાળા વધારે સભ્યો હોય તો જલદી લખપતિ થઇ જવાય.  .દીવાનખાનામાં રાત્રે સાથે ઘરના ટાલસભ્યો બેઠા હોય તો ઓછા વોલ્ટનો વીજળી ગોળો લગાવીએ તો ચાલે કારણકે ટાલો ના ચમકારાના પરાવર્તન ને લીધે આખો ખંડ ઝળાંહળાં થઇ જાય.

           એવી જ બીજી વાત કેશ કર્તનના ખર્ચની બચત ની છે. બિચારા વાળવાળા ભાઈઓ  એરકંડીશન વાળા કેશ કર્તનાલાયમાં જાય તો મહિને ચારસોથી પાંચસો ચૂકવે. હજામ  આપણા જ વાળ વેચીને બીજા ઘણા રૂપિયા મેળવે ખરેખર તો એમાં પણ આપણો ભાગ ગણાય પણ હજી સુધી તેના હક્કનો કોઈ દાવો અદાલતે થયો નથી એટલે દેશના એંસી કરોડ ભાઈઓ એ ભોગવે છે વિચારો ,ટાલ વાળા કેટલા નસીબદાર !

            ટાલ અને ગાલ ને સીધો સબંધ છે.બંને સ્થળે મરજી મુજબ વધે અને બંનેની માવજત પણ એટલી જ લેવી પડે.ટાલ અને ગ઼ાલ જેટલા લીસાં હોય એટલા સારા લાગે. નજરે જોયેલી  એક સત્યઘટના - કોલેજ પ્રવાસ રાત્રે પાછો વળતો હતો. બધા  હળવા મૂડ માં હતા.બસમાં  લાઇટ્સ ચાલુ હતી.એક ટીખળી ને મજાક સૂઝી , ' એક શેર સુનતા હું .- દુરસે દેખા તો સ્વાતિ મેડમ કા ગાલ લગા ,પાસ જા કર દેખા તો વ્યાસ સાહબકા ટાલ નિકલા .'- પરિણામ આવ્યું કે બીજે દિવસે કોલેજ આચાર્ય એ ટીખળી ને બે દિવસ માટે કોલેજ માંથી બરતરફ કર્યો!

            ટાલ ને રાજકારણ સાથે ગાઢ સબંધ છે.અનેક અનેક મહાનુભાવોને ટાલ હતી અને છે .આચારસંહિતા ભંગ થાય એટલે વધુ તો ન લખાય પણ એટલું ખરું કે  કેટલાકે ટાલ ઢાંકવા ટોપીનો ઉપયોગ કર્યો.                        

          એટલું ચોક્કસ છે કે દિવસોદિવસ ટાલવાળા વધતા જાય છે એટલે  જો વિજ્ઞાનીઓ પર્યાવરણ અને માનવીની જીવનશૈલીના  માપદંડ માટે સંશોધન કરે તો  ગુરુવર્ય  ઋષિઓથી માંડીને  વર્તમાન ટાલ મિત્રોનો અભ્યાસ થઇ શકે.સંભવ છે કે પૃથ્વીનું આયુષ્ય નક્કી કરવામાં પણ આ સંશોધન ઉપયોગી થાય અને ટાલ મિત્રો તેમાં સહભાગી થવાનું ગૌરવ લઇ શકે.

Wednesday, February 4, 2026

વિશ્વ કેન્સર દિવસ

 


                                વિશ્વ કેન્સર દિવસ { 3 જી ફેબ્રુઆરી }

            પૂર્ણ રીતે જેને હરાવી નથી શકાયો એવો માનવજાતનો મહાશત્રુ એટલે કેન્સર. સૈનિક, દુશ્મન સામે પુરી તાકાત સાથે લડે. લડતી વખતે તેને અંતિમ પરિણામની હંમેશ હકારાત્મક આશા હોય  અંતે કોઈ સૈનિક જીતે તો કોઈ હારે.

            આજે જેને નિકટથી પ્રત્યક્ષ જોયેલા બે કેન્સરગ્રસ્ત બ્યાક્તિની વાત લખવી છે. આશરે પચાસેક વર્ષ પહેલાં કાકાને ગળાંનું કેન્સર થયું.અમદાવાદથી ચારસો કી.મી. દૂર ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક શિક્ષક.ધીમે ધીમે ખાવાનું અને બોલવાનું બંધ થયું..નિદાન થયું.સારવાર શરુ થઇ. એ વખતે આજના જેવી આધુનિક સારવાર અને શોધ જ નહોતાં. પણ કાકા પાસે અજબ  હિંમત  અને શ્રદ્ધા હતાં.

              સારવાર મારે અમદાવાદ જ આવવાનું..શરૂમાં દર મહિને રેડિયોથેરપી ટ્રેનમાં એકલા આવવાનું.સારવાર લઈને પાછા. .ખુબ લંબાયા સમય સુધી અવિરત ચાલ્યું. રિપોર્ટ્સ હકારાત્મક આવતા ગયા એટલે પછી દર બે  મહિને આવવાનું .પછી ત્રણ માસે અને પછી છ મહિને આવવાનું. આવું લાગલગાટ પંદર વર્ષ.બે ચાર વાક્યમાં લખાયેલી આ વાત વ્યવહારમાં કેટલી કઠિન હશે એ કલ્પના જ કરવી રહી.

            એ વખતે કચ્છ માંડવીમાં એક  પ્રતિષ્ઠિત ડોક્ટર કેન્સર જાગૃતિ માટે અલગ અલગ  ગ્રામ્ય વિસ્તાર અને પ્રદેશમાં કાર્ય કરતા.. તેઓ કાકાને સાથે લઇ જતા.અને કાકાના સ્વમુખે કેન્સર સામે લડવાની ને જીતવાની વાત કહેરાવતા. અલબત્ત ખુબ લાંબા સમય પછી એમને અન્યત્ર પણ કદી ન મટે તેવું કેન્સર થયું .અને 'જન્મે તેનું મૃત્યુ.' --  ક્રમે તેઓ વિદાય લઇ ગયા.કેન્સર સામેની લડત ખરેખર  દાદ માંગી લે તેવી હતી.આવેલ સ્થિતિ સામે  ધીરજપૂર્વક લડવું ,પોતાની અને પરિવારની હિંમત ટકાવી રાખવી એ ખુબ મોટી કસોટી હોય .કાકા તેમાંથી ચોક્કસ પાર ઉતર્યા.

              બીજો કિસ્સો કરુણાજનક છે.ભાણેજ { બહેનની પુત્રી } ને આજથી છ સાત વર્ષ અગાઉ તેની પચાસેક વર્ષની આયુમાં કેન્સરનું નિદાન થયું.પુત્રો અને પરિવાર સતત સારવાર અને સેવામાં લાગી ગયા.ખર્ચાળ પણ આધુનિક સારવાર ચાલતી રહી.ખુબ લમ્બો સમય સારવાર. પણ કેટલીક દવાઓ શરીર ક્ષમતાથી પર હોય એ રહે સૌરાષ્ટ્રના મોટા શરિરમાં .એક બે તેની પાસે જવાનું પણ થયું.ઓળખાય નહિ તેવું શરીર.ઇન્જેક્શન અને તીવ્ર દવા ડોઝના આંકડા કદાચ ડોક્ટરોને પણ યાદ નહિ હોય.

           .ગુજરાતીમાં કહેવત છે,' બકરું કાઢતા ઊંટ પેઠું .' જેવો તાલ એમના કિસ્સામાં થયો .બીજી અનેક અનેક સમસ્યાઓ તેમના શરીરમાં થતી ગઈ.શરીર કૃશ થતું ગયું.કરુણા તો ત્યારે ઉપજે,  જયારે પોતે દર અઠવાડીએ યાદ કરીને ફોન કરે .પીડા થતાં પણ ફોન પર  હસતે અવાજે કહે –‘ ,મને સારું છે.ચિંતા ન કરશો.' જે દેશી ઉપચારો બતાવીએ તે કરે.તકલીફો વધે એટલે ડોક્ટર ,દવા અને દવાખાના પણ વધે

           .ક્યારેક ખબર હોવા છતાં માણસ ઝાંઝવા ના જળ પાછળ દોડતો હોય.આવું એમના કિસ્સામાં હતું.ખુબ મોડેથી જાણવા મળ્યું કે  આ કેન્સર તો 'રક્તબીજ ' રાક્ષસ પ્રકારનું હતું .તેને તો રખાય તેટલું અંકુશમાં જ રાખવાનું હતું .સૈનિક  હારી ગયો.