Readers

Saturday, June 27, 2026

1. પતંજલિ યોગસૂત્ર - પ્રાસ્તાવિક

 



       1.       પતંજલિ યોગસૂત્ર - પ્રાસ્તાવિક                દિનેશ લ. માંકડ

             ભારતીય સંસ્કૃતિની મહાનતાને સહુ સ્વીકારે જ છે.એમાંય જ્યારથી 21 મી જૂન 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ' તરીકે  પ્રસ્થાપિત થયો છે ત્યારથી તો યોગ વિષે વૈશ્વિક જાગૃતિ તો ઉડીને આંખે વળગે છે. યોગ શબ્દથી હવે લગભગ કોઈ અપરિચિત નથી યોગ શબ્દ સંસ્કૃત ભાષાના  युज् (  ધાતુ }  શબ્દ થી આવેલો છે. युज्  એટલે જોડાવું.

           યોગ શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં અનેક જગ્યાએ થયેલો છે.શ્રીમદ ભગવદગીતામાં યોગ શબ્દ દરેક અધ્યાય સાથે અને અનેક શ્લોકમાં પ્રયોજાયેલો છે.ઉપનિષદોમાં પણ અનેક મંત્રોમાં યોગ શબ્દ  તેના યથાર્થ ભાવ .સાથે છે માનવ ને માનવ તરીકે જીવન જીવતાં શીખવનાર અનેક પુણ્યશ્લોક ઋષિઓ એ આપણા અમૂલ્ય વા રસાનો ભાગ છે. મહાશ્રી પતંજલિ પણ એમાંના એક  છે.

         પ્રાચીનકાળ થી યોગ એ ઋષિઓ અને માનવજીવનનો સહજ ભાગ જ હતો. મહર્ષિ પતંજલિએ આશરે બે હજાર વર્ષ પહેલાં  માનવની ઉત્તમ જીવન શૈલીને ઘડતાં 196 જેટલાં યોગસૂત્રો તૈયાર કર્યાં. એ એટલે ' પતંજલિ યોગસૂત્ર '

          ઇતિહાસકારોના મતે મહર્ષિ પતંજલિ  ઈસ્વીસન પૂર્વે  આશરે 200 વર્ષ પહેલાં થઇ ગયા.ઉત્તરપ્રદેશના ગોંડા શહેરમાં જન્મેલા પતંજલિ ,પ્રખર વ્યાકરણ શાસ્ત્રી  પાણિની  શિષ્ય મનાય છે.એક મત અનુસાર  મહર્ષિ  પાણિનીના વ્યાકરણ પર નું મહાભાષ્ય પણ પતંજલિ એ લખ્યું છે.તેમનું  નામ  આયુર્વેદ સંશોધન સાથે પણ જોડાયેલું છે.રાજા ભોજે તો મહર્ષિ પતંજલિને તન અને મનના ચિકિત્સક તરીકે ઓળખાવ્યા છે.

           ' પતંજલિ યોગસૂત્ર ' ના માત્ર 196 સૂત્રોમાં ગારગરમાં સાગર જેટલો અમૂલ્ય ભંડાર છે' જે યોગના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પાસાઓ સમજાવે છે સ્વામી વિવેકાનંદ ,શ્રી યોગેશ્વરજી ,તેમજ અનેક ચિંતકોએ તેમના પર ભાષ્ય લખયાં છે. . .અત્યારે યોગ શબ્દને લઈને જે શારીરિક અને માનસિક ક્રિયાઓ થાય છે તે યોગનો અલ્પત્તમ ભાગ છે .અલબત્ત તન અને મનના સ્વાસ્થ્ય માટે તો ઉત્તમ છે જ. અને  હવે તો લગભગ  મોટાભાગના ઘેર કોઈને કોઈ નાના મોટા  જોડાયેલ છે.. તેવે વખતે યોગના મૂળમાં શું છે ? પાયામાં શું છે ? તે વિષે  વિશેષ જાણવાની   જિજ્ઞાષા હોય તે સ્વાભાવિક છે.

           કેટલાક વિવેચકો માત્ર અષ્ટાંગ યોગને જ પતંજલિ યોગ ગણે છે પરંતુ મહર્ષિ પતંજલિએ તો  માણસની જીવનની શ્રષ્ઠત્તમ અવસ્થા વિષે સૂત્રો આપેલાં છે.  પતંજલિ યોગસૂત્રમાં  ચાર પ્રકરણ છે.સમાધિ પાદ ,સાધનપાદ ,વિભૂતિપાદ અને કૈવલ્ય પાદ

         સમાધિ પાદ  { ૫૧ સૂત્રો } એ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગ સૂત્ર નો પ્રથમ અને મુખ્ય ભાગ છે, જેમાં યોગનો ઉદ્દેશ્ય, ચિત્તની વૃત્તિઓ અને તેને કાબૂમાં કરવાની રીતો વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે

         સાધન પાદ { ૫૫ સૂત્રો): એ મહર્ષિ પતંજલિ રચિત 'યોગસૂત્ર'નો બીજો અને અત્યંત મહત્વપૂર્ણ અધ્યાય છે। તેમાં માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટેના વ્યવહારિક ઉપાયો (ક્રિયા યોગ અને અષ્ટાંગ યોગ) નું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે.

         વિભૂતિપાદ (૫૫ સૂત્રો): એ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત યોગસૂત્ર નો ત્રીજો અધ્યાય છે, જે અષ્ટાંગ યોગના અંતિમ ત્રણ અંગો—ધારણા, ધ્યાન અને સમાધિ—તેમજ તેનાથી પ્રાપ્ત થતી અલૌકિક સિદ્ધિઓ (વિભૂતિઓ) નું વિસ્તૃત વર્ણન કરે છે.

            કૈવલ્ય પાદ  (૩૪ સૂત્રો): એ મહર્ષિ પતંજલિ દ્વારા રચિત પતંજલિ યોગ સૂત્ર નો ચોથો અને અંતિમ ભાગ છે. અધ્યાય આઝાદી, આત્મ-સાક્ષાત્કાર, અને મુક્તિ (કૈવલ્ય) ની અંતિમ અવસ્થાનું વર્ણન કરે છે.

            કેવળ  ઉપદેશ નહિ પણ માનવમાત્રને ઉત્તમ માનવ બનવાની દિશામાં વ્યવહારલક્ષી સૂત્રો આપનાર મહર્ષિ પતંજલિને સમગ્ર માનવ આ રીતે વંદન કરે છે.

ભારતીય સંસ્કૃતિ નર માંથી નારાયણ બનવાની શ્રદ્ધા ધરાવે છે.કેટલાય આધ્યાત્મિક મહાપુરુષોના જયારે  ચમત્કારો વાંચીએ કે સાંભળીએ ત્યારે તેમના ઘણા કાલ્પનિક લાગે પણ છતાં તે પ્રમાણભૂત હોય.યોગ કે સાધનાની ઉચ્ચત્તમ સ્થિતિ માનવ ને મહામાનવ  બનવાની દિશા તરફ લઇ જાય છે.અને એટલે જ  ભારતીય સંસ્કૃતિ વિશ્વને દિશા દર્શન કરે છે.માટે જ યોગસૂત્રના પ્રણેતા મહર્ષિ પતંજલિને સહુ આ રીતે વંદન કરે છે.

                  योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन |

              योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि ॥

            યોગ દ્વારા જેણે ચિત્ત (મન) ની અશુદ્ધિઓને દૂર કરી છે, વ્યાકરણ (પદ) દ્વારા જેણે વાણી ને શુદ્ધ કરી છે, અને વૈદકશાસ્ત્ર દ્વારા જેણે શરીર ના રોગો (અશુદ્ધિઓ) નું નિવારણ કર્યું છે, તેવા મુનિઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિ પતંજલિને હું હાથ જોડીને નમસ્કાર કરું છું.


 

Monday, June 1, 2026

પુરુષોત્તમ માસ યાત્રા

 

             
                                  પુરુષોત્તમ માસ યાત્રા           

            અમદાવાદની એક ટ્રાવેલ કંપનીએ  પુરુષોત્તમ માસ નિમિત્તે  અમદાવાદ થી  150  કી.મી. આસપાસમાં આવેલાં પ્રચલિત દસેક મંદિરોની યાત્રાનું આયોજન કર્યું.બસમાં આખા દિવસની આવી યાત્રા વ્યક્તિગત રીતે થોડી કપરી પડે એટલે એ જ સ્થળોએ ટેક્ષી ભાડે કરીને જવાનું  અમે બે  { રંજના -- દિનેશ  } એ ગોઠવ્યું..શ્રી ભરતભાઈ છાયા અને કલ્પનાબહેન { ગ્રીવાના મમ્મી પપ્પા } યોગાનુયોગ અમદાવાદ જ.  તેઓ પણ સાથે જોડાયા એટલે તો વિશેષ આનંદ થયો.

             28  મી મેં 2026 અધિક જેઠ સંવત  2082 ગુરુવારે વહેલી સવારે  ટેક્ષી કરીને ચારેય સભ્યોએ યાત્રા પ્રારંભ કરી.સૌ પ્રથમ અમદાવાદથી 83 કી.મી .દૂર આવેલા ડાકોરના રણછોડરાયના દર્શને પહોંચ્યા.મંદિર નવ વાગ્યે ખુલવાનું હતું .થોડી વાર પછી ખુલયું.આરતી શરુ થઇ.ભીડ કહે,મારુ કામ.વ્યવસ્થાપકોની બિનઆયોજનને લીધે દર્શન ખુબ કપરાં થયા.ન થયા.છતાં ભક્ત બોડાણા ની પવિત્ર ભૂમિ પર પગ મૂકીને પણ પાવન તો થવાય જ.

            ગુજરાતના ખેડા જિલ્લામાં ગોમતી તળાવના કાંઠે આવેલું ડાકોરનું રણછોડરાયજી મંદિર ભક્તિ અને ચમત્કારનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. પ્રાચીન સમયમાં આ સ્થળ ડંકપુર તરીકે ઓળખાતું હતું, જ્યાં ડંક ઋષિએ તપસ્યા કરી હતી. ૧૮મી સદીમાં હાલનું ભવ્ય મંદિર ગાયકવાડ રાજવી પરિવારના સહયોગથી બંધાયું હતું.



           દ્વારકાથી ડાકોર આગમન (બોડાણાની ભક્તિ):બોડાણાનો ભક્ત: સંવત ૧૨૧૨ આસપાસ ડાકોરમાં વિજયસિંહ બોડાણા નામના પરમ કૃષ્ણ ભક્ત રહેતા હતા. તેઓ દર છ મહિને પગપાળા દ્વારકા જતા હતા. વૃદ્ધાવસ્થામાં બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાથી તેમની સાથે ડાકોર આવ્યા.સવારે જ્યારે પૂજારીઓને મૂર્તિ ગાયબ હોવાની જાણ થઈ, ત્યારે તેઓ ડાકોર પહોંચ્યા અને બોડાણા પર હુમલો કર્યો. બોડાણાને બચાવવા ભગવાને પૂજારીઓને સોનું આપ્યું હતું. પૂજારીઓએ સોનું સ્વીકારીને મૂર્તિ ત્યાં જ છોડી દીધી. ત્યારથી ભગવાન "રણછોડ" (રણ છોડનાર) તરીકે ઓળખાયા.

               ડાકોરથી દર્શન કરી ખુબ નજીક જ આવેલા મીઠી લીમડી ગયાં લોકવાયકા અનુસાર જયારે ભક્ત બોડાણા શ્રીકૃષ્ણને બળદગાડાંમાં  બેસાડીને ડાકોર લાવતા હતા ત્યારે માર્ગમાં શ્રીકૃષ્ણએ અહીં જે લીમડાની ડાળથી દાતણ કર્યું તે કડવા લીમડીના પાન મીઠાં થયાં


.શ્રદ્ધાનો વિષય છે.ચાખ્યા તો ખરેખર અન્ય કડવા લીમડા કરતાં કૈંક જુદાં તો હતાં .ત્યાં રણછોડરાયજીના પગલાંનું મંદિર પણ છે.ખુબ નજીકથી દર્શન અને પગલાંના ચરણસ્પર્શ કર્યાં.ત્યાં અનાયાસે કચ્છ અંજાર રહેતા બે પરિવારના  શ્રદ્ધાળુ બહેનો  મળી ગયાં અને એ પવિત્ર લીમડાના સાન્નિધ્યમાં સહુ બહેનોએ હળવો રાસ રમી લીધો.

             હવે પછીનું પ્રયાણ 16 કી.મી દૂર  આવેલા ગળતેશ્વર મહાદેવ તરફ..જે સોલંકી (ચૌલુક્ય) વંશના રાજા કુમારપાળના શાસન દરમિયાન ૧૨મી સદીમાં બંધાયું હતું. આ મંદિર બે નદીઓ, મહી નદી અને ગળતી નદીના સંગમ પર સરનાલ ગામની નજીક આવેલું છે. ગળતી નદી પરથી મંદિરનું નામ પડ્યું  છે

આ મંદિર પુરાણકથાઓમાં વર્ણવાયેલા ગાલવ ઋષિ અને રાજા ચંદ્રહાસની સાથે સાંકળવામાં આવે છે  મંદિરનું ગર્ભગૃહ મંડપ કરતા નીચું છે અને અંદરની બાજુથી ચોરસ છે. બહારની દીવાલ ગોળાકાર છે અને અનેક ખૂણાઓ સાથે ૨૪ ફીટનો વ્યાસ ધરાવે છે. આ ખૂણાઓમાં સાત ગોખલા છે જેમાં આઠ દિક્પાલો (દિશાના રક્ષક દેવો)પૈકી સાતની મૂર્તિઓ છે.


           ગર્ભગૃહની આગળની દિવાલ કોતરણી ધરાવે છે, જેમાં શિવના વિવિધ રૂપો દર્શાવેલ છે અને તે લગભગ નષ્ટ પામેલ છે. ગર્ભગૃહના દ્વાર પર આબુ શૈલીના રૂપસ્થંભની કોતરણી કરેલ છે. આ શિલ્પો અને કોતરણીઓમાં ગાંધર્વો, ઘોડેસ્વારો, હાથીસવારો, રથ, જીવનથી મૃત્યુની ઘટમાળો વગેરેનો સમાવેશ થાય છે..

            અમને  નિજ મંદિરમાં જઈને અભિષેક  કરવાનો લહાવો મળ્યો. શાસન કે,પુરાતત્ત્વ વિભાગ દ્વારા કોઈ પ્રકાર જતન થતું નથી.તેવું સ્પષ્ટ દેખાય.

           હવે પછીનું  તીર્થધામ  તે ખેડા જિલ્લાનું  વાત્રક નદીના કિનારે આવેલું

રઢુ,  .જે ત્રણ સશક્ત ઓળખાણને કારણે બીજા ગામ કરતા વધુ મહત્વ ધરાવે છે.

નડિયાદના સંતરામ મહારાજની સાત ગાદીમાની એક ગાદી રઢુમાં આવેલી છે. બીજી ઓળખ ગુજરાતના મૂક સેવક તરીકે જાણીતા સ્વતંત્રસેનાની રવિ શંકર મહારાજની જન્મભૂમિ, અને ત્રીજી મહત્વની ઓળખ છે કામનાથ મહાદેવનું મંદિર. જેમાં ખાસ મંદિરમાં ૫૭૫ વર્ષથી સચવાયેલા ઘી ભરેલા ૬૫૦થી વધારે માટીના મોટા કાળા માટલા



   પહેલી નજરે સાભળીને આશ્ચર્ય થશે કે બે ચાર મહિના ગરમીમાં ઘી પડી રહે તો તેમાં ગંધ આવે કે ફૂગ જેવું લાગે છે. અહી મંદિરના ઓરડામાં આટલા વર્ષોમાં ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીમાં તપતા ધાબા નીચે માટલામા સંઘરાયેલું ઘી કોઈ પણ જાતની ગંધ વિના તાજુ રહ્યું છે. ગુજરાતમાં આવેલું આ એવું શિવ  મંદિરમાં ઘી ભરેલા ૬૫૦ કાળામાટીના ગોળા છે. અંદાજે ૧૩થી ચૌદ હજાર કિલો જેટલું ઘી ૬૨૦ વર્ષથી અહી સચવાયેલું છે. જેમાં જરા સરખી ગંધ નથી. જીવાતનો કોઈ ઉપદ્રવ નથી.

              કામનાથ મહાદેવના ગર્ભસ્થાનમાં બે મોટી અખંડ જ્યોત આટલા જ વર્ષોથી સતત પ્રજ્વલ્લિત રહી છે. તદુપરાંત શ્રાવણ મહિનો આખો મંદિરના પ્રાંગણમાં ઘી હોમાત્મક યજ્ઞ રખાય છે. જેમાં કેટલુય ઘી હોમાવી દેવાય છે છતાં પણ વધારો અટકાવી શકતો નથી.

           પાંચ નદીઓના સંગમસ્થાન પર આવેલ કામનાથ મહાદેવ મંદિર ૧૪૪પમાં બન્યું હોવાની લોકવાયકા છે. આજથી ૫૭૫વર્ષ પહેલા આ મંદિરમાં મહાદેવજીની જયોત રઢુના જેસંગભાઇ હીરાભાઇ પટેલ વર્ષો પહેલા લાવ્યા હતા. તેઓ મહાદેવજીના ભકત જેસંગભાઇ દરરોજ સવારે મહાદેવના દર્શન કર્યા બાદ જ ખોરાક લેતા હતા. એક રાત્રિએ જેસંગભાઇને સ્વપ્ન આવ્યું હતું. જેમાં મહાદેવજીએ કહ્યું હતું કે, પુનાજ ગામેથી દીવો પ્રગટાવીને મને લઇ આવ. આથી બીજી સવારે સ્વપ્નની વાત જેસંગભાઇએ ગ્રામજનોને કરતા સૌ શ્રદ્વાપૂર્વક રઢુથી આઠેક કિલોમીટર દૂર આવેલા પુનાજ ગામે પહોંચ્યા હતા અને ત્યાંથી દીવો પ્રગટાવીને સાથે લીધો હતો. કહેવાયછે તે સમયે વરસાદ અને ભારે પવન હતોછતાંયે દીવો અખંડ રહ્યો. સંવત ૧૪૪પમાં દીવાની સ્થાપના કરીને નાની દેરી બનાવી હતી.         

          સંવત ર૦પ૬ના શ્રાવણ માસથી દર વર્ષે મહિના દરમિયાન હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે. આ યજ્ઞ સવારે ૬ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી ચાલે છે. જેમાં ઘીનો હોમ કરવામાં આવે છે. દિવસભર મોટી સંખ્યામાં ભાવિકજનો યજ્ઞના દર્શનાર્થ આવે છે. ઉપરાંત શ્રાવણ વદ બારસના દિવસે શ્રી કામનાથ દાદાનો મોટો મેળો ભરાય છે. ટ્રસ્ટની આગેવાની હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથીઅન્નક્ષેત્ર ચાલે છે જ્યાં અહી દર્શનાર્થે આવતા ભક્તોને જમવાની વ્યવસ્થા પૂરી પડાય છે.

           યાત્રા આગળ વધી ગણપતપુરા તરફ. ગણપતપુરા કે ગણેશપુરા તરીકે ઓળખાતું ગણેશ મંદિર ધોળકા નગરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી આશરે ૨૦ કિલોમીટર તેમ જ જિલ્લા મથક અમદાવાદથી ૬૨ કિલોમીટર અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બગોદરાથી ૧૪ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે.



          આ મંદિરમાં ગણેશજીની સ્વંયભૂ મૂર્તિના દર્શન થાય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે ઘણાં મંદિરોમાં ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે. આ ઉપરાંત એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ જેટલી ઊંંચી છે.

       આ મંદિરનો ઇતિહાસ લોકમુખે જે ગવાયો છે તે પ્રમાણે વિક્રમ સંવત 933ના અષાઢ વદ-4 ને રવિવારના રોજ હાથેલમાંની જમીનના કેરડાના જાળાના ખોદકામ સમયે ગણપતિદાદાની મૂર્તિ પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડે કંદોરા સાથે પ્રગટ થઇ હતી. આ મૂર્તિને લઇ જવા માટે કોઠ, રોજકા અને વણકૂટા ગામના આગેવાનોમાં વિખવાદ થયો હતો. ત્યાર બાદ જ્યારે મૂર્તિ ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના ટેકરે ઊભું રહ્યું.

           આ જગ્યાએ દુદા ભરવાડ અને ગોકળની શક્તિમાતાની સ્થાપના કરી હતી ત્યાં ગાડામાંથી ગણપતિદાદાની મૂર્તિ આપોઆપ નીચે ઊતરી ગઇ હતી. ત્યારથી આ ટેકરાનું નામ ગણપતિપુરા પડ્યું. એ જ દિવસે અને એ જ તિથિએ અરણેજમાં બુટભવાની માતાજી પ્રગટ થયેલાં અને તેમના પૂજારી અંબારામ પંડિતના નામ ઉપરથી અરણેજ નામ પડેલ.  ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે ગુજરાત તેમજ બહારનાં રાજ્યોમાંથી અહીંયા બેથી અઢી લાખ લોકો દર્શને આવે છે. અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે. ઉત્તમ રીતે કરાયેલું મંદિરનું પુનરાનિર્માણ ખુબ સરસ છે.દર્શન આયોજન પણ ખુબ સુંદર છે

           ગણપતિપુરાથી અરણેજ બુટભવાની માતાનું મંદિર પાંચ કિ.મી આવે છે

બુટભવાની માતાજીના ઈતિહાસ વિશે એમ કહેવાય છે કે બુટભવાની માતાજી ચારણ કુળમાં પ્રગટ થયેલાં. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાજીના ભક્ત હતા અને આઈશ્રી દેવળબાને ત્યાં એમ ત્રણે દીકરીઓ પ્રગટ થયેલાં તેમાં બુટભવાની માતાજી તેમજ બલાડ માતાજી તેમજ બહુચર માતાજી. એ રીતે જોવા જઈએ તો બુટભવાની માતાજી ભાલ પંથકમાં પ્રગટ થયેલાં

બુટભવાની માતાજીનો ઇતિહાસ ગુજરાતના આસ્થા અને ચમત્કારો સાથે જોડાયેલો છે.



          પ્રાગૈતિહાસિક ઉત્પત્તિ: આ મંદિરનો ઇતિહાસ પાંડવો અને માતા કુંતી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે. પાંડવો વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા અને માતાજીની પૂજા-આરાધના કરી હતી. તે સમયે આ વિસ્તારમાં ગાઢ જંગલ હતું, જેથી માતાજી 'અરણેજ' તરીકે ઓળખાયા.

           બુટભવાની માતાજીના ઇતિહાસમાં સૌથી પ્રખ્યાત ચમત્કાર અંગ્રેજ શાસનકાળ દરમિયાન બન્યો હતો. એવું માનવામાં આવે છે કે તે સમયે અમદાવાદ-બોટադ રેલવે લાઇન નાખવામાં આવી રહી હતી અને માતાજીના મંદિરને તોડવાનું નક્કી કરાયું હતું. ત્યારે માતાજીના પરચાથી પાટા પરથી પસાર થતી ટ્રેન અચાનક આપમેળે ઊભી રહી ગઈ હતી અને અંગ્રેજ અધિકારીઓએ પણ માતાજીની શક્તિ આગળ ઝૂકીને મંદિરને નુકસાન પહોંચાડવાનું માંડી વાળ્યું હતું.

          ભવ્ય મૂર્તિ અને મંદિર પુનરાનિર્માણ ખુબજ સુંદર છે.દર્શન કરીને ધન્ય થઇ જવાય.

           અહીંથી આગળ યાત્રા મોગલધામ ભાયલા . અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલું મોગલધામ ભાયલા આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચીન અને રોચક ઇતિહાસ ધરાવે છે। આ જગ્યા ભાલ અને નળકાંઠા વિસ્તારમાં આસ્થાનું મોટું કેન્દ્ર છે.આ પવિત્ર ધામના ઇતિહાસની મુખ્ય વાતો નીચે મુજબ છે:

          જિંડવાવાળી મોગલ: ભાયલા ગામમાં વર્ષો પહેલા એક ચારણ પરિવાર રહેતો હતો, જેમના કુળમાં આઈ શ્રી મોગલ માતાજી 'જિંડવા' સ્વરૂપે બિરાજમાન હતા. ગામના અમુક ઈર્ષાળુ અને માથાભારે લોકો દ્વારા આ ચારણ પરિવારને સતત હેરાન કરવામાં આવતો અને તેમની જમીન-મકાન પચાવી પાડવાના પ્રયાસો થત. હેરાનગતિથી કંટાળીને ચારણ પરિવારે આખરે ભાયલા ગામ છોડીને બીજે સ્થળાંતર કરવાનો નિર્ણય કર્યો. તે સમયે માતાજીને આ પરિસ્થિતિ સોંપી ગયા.



           પાછળથી જ્યારે અત્યાચારીઓએ તેમના ઘરમાં પશુઓ બાંધવા અને નુકસાન પહોંચાડવાના પ્રયાસ કર્યા, ત્યારે માતાજી કાળઝાળ બન્યા અને તે જગ્યાએ તેમના પરચા જોવા મળ્યા. આજે એ જ ઐતિહાસિક અને ચમત્કારિક જગ્યા ‘મોગલધામ ભાયલા’ તરીકે ઓળખાય છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. મંદિર  પરિષર માં શણગારેલા બળદ વાળું  ગાડું , વિશાળ ગરુડ પર વિરાજમાન શ્રી વિષ્ણુ અને હિંચકે  ઝૂલતા શ્રીહરિ વગેરે વિશેષ આકર્ષણ પ્રેરે છે.મંદિર તરફથી દર્શાર્થીઓએ ચા અપાય છે..

             યાત્રા પૂર્ણ કરીને મોડી સાંજે તો ઘેર અમદાવાદ પણ આવી જ્વિગયા.યાત્રા હોય ને ભવ્ય મંદિરોમાં પ્રત્યક્ષ દર્શન થયા હોય એટલે થાકનું તો નામનિશાન હોય જ નહિ.  પુરુષોત્તમ માસમાં અચાનક જ ગોઠવાયે આ યાત્રા ખરેખર તો ઈશ્વર પ્રેરિત જ હોય તેવી અનુભૂતિ થઇ.અને એમાંય કચ્છ અંજાર નિવાસી શ્રી ભરતભાઈ અને કલ્પના બહેન નો સંગાથ પણ  ઉત્તમ નિમિત્ત બન્યું.ખાસ તો કોઈ ટ્રાવેલવાળા યોજના બનાવે ને એના જ આયોજનને માર્ગદ્રશક બનાવીને જાતે યાત્રા ગોઠવાઈ એ યોગાનુયોગ પણ અદભુત જ ગણાય.જય પુરુષોત્તમ ભગવાન

વિશેષ નોંધ ;અમે જે પવિત્રધામોના દર્શન  કર્યા તેના દર્શન કરવા હોય તો ફોટા સાથે જોવા બ્લોગ પર જશો.

mankaddinesh.blogspot.com


Thursday, April 30, 2026

યાત્રા - મૂર્તિમંત બાલી ભાગ 3 { 1 થી 3 }

                              

                                   યાત્રા - મૂર્તિમંત બાલી  ભાગ 3 { 1 થી 3 } 

   તારીખ 10 મી એપ્રિલ શુક્રવાર સવારે Tegenungan Waterfall  તરફ.આશરે પાંચસો પગથિયાં ઉતરીને  નીચેથી ઉંચો ભવ્ય ધોધ જોવાનો અનેરો લહાવો છે. 46 કી.મી નો વિસ્તાર ધરાવતી બાલીની સૌથી મોટી નદી પેટાનું પર આવેલો આ Tegenungan Waterfall

 બતુર નામક પહાડીમાંથી નીકળે છે.


પેટાનું નદી કિનારો ધ્યાન ક્રિયા કરવા માટે પ્રચલિત છે આ નદીને ત્યાંના લોકો ભૌતિક સુખાકારી અને આધ્યાત્મિક ભાવનાથી જુએ છે.

 ત્યાંથી Bali Jungle Swings ની સાથે સ્થાનિક ભોજન. ઉંચી નાળિયેરીના થડ સાથે દોરડા વાળા વિવિધ પ્રકારના હીચકાઓ પર બેસવાનો અદભુત લ્હાવો છે. 10 મીટર થી માંડીને 78 મીટરની ઊંચાઈ વાળા 12 જેટલા હિંચકા -ઝૂલા અને વિવિધતા ધરાવતા  નવ જેટલા પક્ષીમાલા ધરાવતા આ આ રમણીય સ્થળને પૃથ્વી પરના અનોખા સ્વર્ગની ઓળખ અપાય છે.અને  ઝૂલતી વેલા એની અનુભૂતિ પણ થાય જો  ડર ન લાગે તો. નીચે ઊંડી ખીણ અને હીંચકો ઝૂલે ત્યારે ભય અને આનંદ મિશ્રિત  રોમાંચ  ખરેખર અદભુત હોય છે.


પક્ષીના માળા
, ર્હદય જેવા આકારની અનેક ફોટો  ફ્રેમમાં ફોટો પડાવી લીધાનો પણ સહુને આનંદ.મોલા ભાત ,નુડલ્સ ,મોટા પાંદડાવાળા કોબીનું સૂપ બટેકાની વેફર વગેરે હસતે મોઢે સ્થાનિક ભોજન તરીકે ખાધા.

             માર્ગમાં ચોખાના ખેતર Tegalalan   Rice Terrace  જોયાં ઝરમર વરસાદ શરુ થયો.કિંતામણિ જ્વાળામુખીની સાથે વિશાળ સરોવરની સુંદરતા માણી દસ વર્ગ કિલોમીટર માં પથરાયેલી બેતૂર પર્વતમાળા અને બેતૂર સરોવર પાસે આવેલો કિંતા મણિ સક્રિય જવાળામુખી એ બાલીનું મુખ્ય આકર્ષણ છે.ત્રીસેક હજાર વર્ષ પહેલા ઓળખાયેલો આ જવાળામુખી પ્રાપ્ત માહિતી અનુસાર  આ જવાળામુખી 1804 થી સક્રિય છે. છેલ્લે 2000 ની સાલમાં ફાટેલો. 



700 મીટર ઊંચા જવલામુખીમાંથી 1963 ની નીકળેલો લાવા રસ લોકો દૂરથી પણ નિહાળી શકે છે.20 મી ઓક્ટોબર 2012 ના દિને યુનેસ્કોએ આ પ્રદેશને e Global Geoparks Network તરીકે જાહેર કરેલો છે.લાંબી પર્વતમાળા અને વિશાળ સરોવર પર સૂર્યોદય જોવાનો લ્હાવો પણ અનેક પ્રવાસીઓ લે છે.સક્રિય  જ્વાળામુખી છેલ્લે 2002 માં ફાટેલો તેની હળવી ધુમ્ર્સર હજુ વર્તાય છે એવું કહેવાય છે. ઘેરા  વરસાદી વાતાવરણમાં આછેરો નિરીક્ષણ અનુભવ કરી સંતોષ માણ્યો..ભોજન પછી હોટેલ પરત .

           તારીખ 11 મી એપ્રિલ શનિવાર તાનાહ લોટ મંદિર જોયું.આ સ્થળ હિન્દ મહાસાગરમાં સૂર્યાસ્ત જોવા માટે પ્રચલિત છે.


જોકે અમે ત્યાં બપોરે હતાસમુદ્ર કિનારે ઊંચા ખડક પર આવેલાં આ મંદિર માં વરુણ દેવ પ્રસ્થાપિત છે.સોળમી સદી માં બંધાયેલ મંદિરને ઈ.સ.  1980 જાપાન સરકારના ઋણ થી જીર્ણોદ્ધાર કરાયું છે..

        ત્યાંથી બાલીના પ્રખ્યાત હિન્દૂ મંદિર  ઉલાન દાન મંદિર અને સરોવર જોયા. અહીં આવેલું સરોવર મધ્ય બાળી નો મુખ્ય જળ સ્ત્રોત છે. ઈ.સ.1633 માં બંધાયેલા આ

Pura Ulun Danu Bratan મંદિરના 11 માળના શિખર છે


શિવ પાર્વતી અને બુદ્ધ પ્રતિમાઓ વિરાજમાન છે. અહીં વિષ્ણુ ઉપરાંત લક્ષ્મીમાતાનું પણ મંદિર છે.આગળ જતા હાંડારા ગેટ તરફ ગયા.બાલીનું આ સૌથી ઉંચુ પ્રવેશદ્વાર છે.

Hundara Gate – બાલીના અનોખા સ્થાપત્ય માટે પ્રચલિત છે .3 થી દસ મીટરની ઊંચાઈ ધરાવતું આ સ્થાપત્ય સ્થાનિક લોકો માટે વારસા અને અધ્યાત્મ નું મહત્ત્વ ધરાવે છે તો પ્રવાસીઓ માટે તે તે ફોટો શૂટ સ્થળ બને છે કેમકે તેની આસપાસ વિશાળ હરિયાળી અને પર્વતમાળા આવેલાં છે.વચ્ચે અલ્પ ઝલપ કોફી બગીચાની મુલાકાત Kopi Luwak Farm માં અલગ અલગ ફ્લેવરની સાદી અને  Luwak iકોફી તૈયાર થાય છે.કોફી વૃક્ષો અને તેના પરના કોફી દાણા જોવાની તક મળી.અહીંની  Luwak કોફી વિશેષ પ્રચલિત છે.વિદેશીઓ ઉપરાંત કહેવાતા સુધારેલા ભારતીયો માં તેની વિશેષ માંગ છે.પણ તે તૈયાર કરવાની પ્રક્રિયા વાંચવા પહેલાં તમારે નાક  બંધ કરવું પડશે.- કર્યું ?  - હવે વાંચો, સાદા કોફી ઝાડ ના બી નોળીયા { The Civet Cat } જેવા પ્રાણીને ખવરાવે.પછી સુમધુર સ્વાદ અને સુગંધ સાથે બહાર { ? }  નીકળે. સૂકવીને  દળી ને પેકીંગ થાણે સાદી કોફી કરતાં પાંચેક ગણા ભાવે વેચાય..ભોજન બાદ હોટેલ પર

            .આજે કથાનું પાંચમું અને અંતિમ ચરણ હતું. કથારસપાન પછી ટ્રાવેલ એજન્સી દ્વારા  સહુ  શ્રોતાઓનું શ્રી કવિતાબેનના વરદહસ્તે અભિવાદન કરાયું.ગૃપફોટો  પાડીને પુર્ણાહુતી થઇ.

            તારીખ 12 મી એપ્રિલ સવારે નાસ્તા પછી ચેક આઉટ એરપોર્ટ પ્રયાણ. માર્ગમાં અગાઉની જેમ કુઆલામ્પુર વિમાન બદલીને 12 મી એ જ.  રાત્રે જ સહુ પોતપોતાના નિજ ઘર મંદિરે પહોંચ્યા.અને પ્રસંગો અને  સ્મરણો વાગોળતા રહ્યા.

          મોટાભાગે સદા હસમુખ અને સરળ પ્રકૃત્તિવાળી પ્રજા હોય તેવું લાગ્યું.મોટા મંદિરો ફક્ત તહેવારોમાં જ ખુલે પણ દરેક ઘરના આંગણમાં નાનું મંદિર હોય જ. અહીંના કેટલાક મંદિરોમાં ત્યાંના પરંપરાગત વસ્ત્ર પહેરીને અનેક ગોમુખ વાળા હોજમાં સ્નાનની પ્રથા છે.અમારામાંના કેટલાકે તે લાભ લીધો પણ ખરો.

           જ્યાં ભગવાન શ્રી વિષ્ણુની શેષશય્યામાં મસ્તક છે તે હિન્દ મહાસાગરમાં આવેલા બાલી ટાપુ પર યોજિત શ્રી વિષ્ણુપુરાણ કથામાં શ્રી કવિતાબેન દ્વારા શ્રી વિષ્ણુપુરાણ માહાત્મ્ય સાથે દશાવતાર ,રામ કૃષ્ણ જન્મ ,ધ્રુવ  પ્રહલાદ આખ્યાન ,પિતૃ આદર શ્રાદ્ધ મૂલ્ય ,કળિયુગ દર્શન જેવા મૂલ્યવાન વર્ણન સાથે વ્યવહારિક જીવનને ઉત્કૃષ્ટ બનાવવાના નિર્દેશન સહજ અને સરળ વાણી થી પ્રસ્તુત થયા.અને સહુ એ ભાવમગ્ન થઈને શ્રવણ કર્યું.

           Tourisque Travel  Agency ના શ્રી ધર્મેશભાઈ અને શ્રી રાજભાઈ નું ખુબ સુંદર આયોજન ખરેખર દાદ માંગી લે. ખાસ તો ઉત્તમ હોટેલ,ખુબ સારી બસ  અને ગાઈડ ,ભારતીય ભોજન ગૃહ વગેરેની પસંદગી  ખુબ જ સારી..નાનામાં નાની વાતની કાળજી ,દરેક  વખતે સાથે.અને કોઈને પણ આવેલી નાની કે મોટી સમસ્યા વખતે સતત સાથે રહી નિવારણ ભુલાય તેવું નથી.સદાય હસમુખા બે ય ભાઈઓની ચોક્કસ પ્રગતિ થશે.

          વિષ્ણુપ્રિય બાલીમાં શ્રી વિષ્ણુપુરાણ કથા શ્રવણ એટલે  જીવનનું સહુથી મોટું સંભારણું જ હોય ને ?  જય  શ્રી કૃષ્ણ

સહુને શુભકામના 

દિનેશ લ. માંકડ 

ચલિત દુરભાષ 9427960979

વૈવિધ્ય ભર્યા અનેક લેખ આપ નીચેની બ્લોગ લિંક પર વાંચી શકો.

mankaddinesh.blogspot.com