ઉતારો શીશે દિનેશ લ. માંકડ
અંતરિયાળ ગામના બાબુ માસ્તરને અડધી રાતે છાતીમાં દુખાવો ઉપડ્યો .ઘરના બધાં અને ગામ આખું ચિંતામાં પડ્ય .કાળું ડ્રાઈવર પોતાની ટેક્ષી લાવ્યો.ને દોડ્યા શહેર તરફ .સ્ટાફના કોઈ જાણીતા ફેમિલી ડોક્ટર પાસે પહોંચ્યા. ડોક્ટરે તપાસ્યા. જરૂરી લેબોરેટરી ટેસ્ટ અને કાર્ડિયોગ્રામ કરાવ્યા.ને બોલ્યા ,' બિલકુલ ચિંતા ન કરશો.તમારા બાબુ માસ્તરને કશું નથી..અતિશય વાયુ પ્રકોપ જ છે.' માસ્તરને યાદ આવ્યું. ગામના લગ્નોના નિમત્રંણમાં ચાર દિવસથી ચાર વાર વટાણા બટાકાના શાક ખાધે રાખ્યા.એનું પરિણામ છે.હસતે મોઢે બધા ગામ પાછા ફર્યા.
એક વિચારક હંમેશ કહેતા કે ડોક્ટર તો ભગવાનનો બીજો અવતાર છે.અનેક અનેકને મોતના
મુખમાં થી બચાવે કે મોટી પીડામાંથી રાહત અપાવે. અને વાત સાચી પણ છે .જ્યાં સુધી
ડોક્ટર ,ડોક કટર ન બને ત્યાં સુધી.
નવમા ધોરણમાં અભ્યાસ કરતી શીલા સાયકલથી શાળાએ જતી.એક દિવસ ઉતાવળમાં અચાનક
સાયકલ પરથી સહેજ પડી ને પગ મચકોડાયો.ડોક્ટર પાસે ગયા.એક્ષરે પાડ્યો. જોઈને ડોક્ટર
બોલ્યા ,'એમના તો સ્નાયુ ફાટી ગયા છે.અમદાવાદ જવું પડશે. અમદાવાદના જાણીતા ડોક્ટરનું નામ આપ્યું. ચિંતામાં પડેલો પરિવાર તરત જ એ
તરફ.અમદાવાદના ડોક્ટરે એક્ષરે જોઈને કહ્યું ,'આ એક્ષરે નહિ ચાલે. .નવા એક્ષરે અને
જરૂરી બીજા રિપોર્ટ તો તમારે કરવવાજ પડશે. નીચે અમારી ગાડી
ઉભી છે .તેમાં જાવને ખુબ જાણીતી હોસ્પિટલમાં આ રિપોટ્ર્સ થઇ શકશે.અને તો જ સારી
ટ્રીટમેન્ટ થશે જરૂર પડે મોટું ઓપરેશન પણ કરવું પડશે..નહીંતર કાયમી ખોટ રહી જશે.' દીકરીના પિતાની
ચિંતામાં વધારો થયો.
અનાયસે તેમના અમદાવાદમાં રહેતા તેમના સ્નેહી તેમને મળવા ત્યાં આવ્યા.પિતાએ
તેમને વિગત સમજાવી.સ્નેહીએ એક નાની સલાહ આપી ' જુઓ તમને વાંધો ન હોય તો મારો પાડોશી
ફિઝિયોથેરપિસ્ટ સામે જ સરકારી હોસ્પિટલમાં છે .તેમને જરાક મળી લેશું ? ગયા.અને
સ્નેહીનાં પરિચિત ડોક્ટરે, પોતાના સિનિયર
ઓરથીપેડીકને એક્ષરે બતાવીને મત લીધો અને પછી દીકરીના પિતાને જણાવ્યું કે ,' કશું ચિંતાજનક
નથી.સહેજ નસ એક બીજા પર ચડી છે.હું એક બે
કસરત બતાવું છું .એકાદ અઠવાડિયું કરશો એટલે મટી જશે.' પિતાએ હાશકારો
અનુભવ્યો ને ખોટી વાઢકાપ અને લખો રૂપિયાના ખર્ચ માંથી બચવા માટે પ્રભુનો આભાર
માન્યો અલબત્ત દૂર શહેરમાંથી અમદાવાદ મોકલનાર બિચારા
ડોક્ટરનું કમિશન ન પાક્યું !
સમયની સાથે તબીબી
વિજ્ઞાનની શોધ માણસને ખુબ આશીર્વાદ રૂપ છે.તબીબોમાં પણ ચોક્કસ રોગ માટેનુ નિષ્ણાતપણું
વધ્યું છે .એક જ સ્થળે તમામ ઉત્તમ સુવીધા આપતી સ્પેશિયાલિટી
હોસ્પિટલ પણ વધી છે.એટલે ગંભીર રોગોમાં પણ ઉત્તમ સારવાર મળે છે. યોગ્ય નિદાન
થાય.યોગ્ય સારવાર થાય.એ સારી વાત છે.
પણ કેટલીયે વાર દર્દી ખોટી રીતે દંડાય ત્યારે ખુબ દુઃખ થાય.એમાંય ઘણીવાર તો
સરકારી યોજનાઓ અને મેડિક્લેઈમની ખબર પડે તો તો ડોક્ટર સહેમ ઈલાજ માટે મન મૂકીને
વરસી પડે.કેટલાએ દવાના ઓવરડોઝ જાય ને શરીરને ગંભીર આડઅસર પણ થાય પણ એમને શી ચિંતા? પ્રયોગ તો આખરે
દર્દીના શરીર પર અને તેના જોખમે કરવાનો છે ને ? ક્યાં ડોક્ટર પોતાના શરીર પર કરવાના છે ? એક નિકટના સગાને
65 વર્ષની વયે કેન્સરનું નિદાન થયું.એક બે ઓપરેશન થયાં.દોઢ -બે વર્ષ થી વધારે સમય કિમોથેરપીના ડોઝ
ગયા.ખોરાક ઘટ્યો ,રોગ પ્રતીકારકતા ઘટી.અન્ય સમસ્યાઓ વધી.ખુબ લાંબા સમય પછી
ડોકરે તેમના દીકરાને કહ્યું “ આ તો કદી નહિ મટવા પ્રકારનું
કેન્સર છે.” દીકરાને ડોક્ટરને પૂછવાનું મન થયું કે ,' સાહેબ આપણા
માતુશ્રીને જો આ પ્રકારનું કેન્સર
હોત તો પણ તમે આ જ સારવાર કરી હોત ?'-
એકવાર એકે હોસ્પિટલમાં જવાનું થયું. ડોક્ટર પાસે મોટી દવા કંપનીના એક M .R . બેઠા હતા.એટલે બહાર બેસવાનું થયું.દરવાજો અડધો ખુલો હતો એટલે સંવાદ સંભળાતો
હતો..- M .R સાહેબ,-“ આ વખતે ક્યાં જશો
,કેરાલા કે ઉટી ? તમારા કુટુંબ સભ્યો અને તારીખ જણાવો એટલે ટિકિટ મોકલાવું.'' ડોકટરે વિગત આપી. ફરી M
.R એ કહ્યું ,' સાહેબ ,અમારા સેલ્સ મેનેજરે કહ્યું છે કે જો આપનું અમારી દવાનું
પ્રિસ્ક્રિશન આ વખત કરતા ડબ્બલ થશે તો આવતા વર્ષે આપને વિદેશ ટુર ગોઠવી આપશું.' દરવાજામાંથી દેખાતું હતું કે બગર મિષ્ઠાને ડોક્ટરના મોઢામાં
આવેલું પાણી તેઓ રૂમાલથી લૂછી રહ્યા હતા.
" અહીં ફી
આપવી ફરજીયાત નથી."- શું કોઈ દવાખાનાની બહાર આવાં બોર્ડની કલ્પના કરી શકો છો ?- પણ હકીકત બિલકુલ સાચી છે.વડનગરના સેવાભાવી ડોક્ટર વસંતભાઈ
પરીખએ આ બોર્ડ પોતાના દવાખાનાની બહાર લગાડેલું.વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક દર્દીઓની
સેવા કરનાર એટલા તો લોકપ્રિય બનેલા કે લોકાગ્રહથી ગુજરાત વિધાનસભાના સદસ્ય
અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી અને લઘુત્તમ
ચૂંટણી ખર્ચથી જીતીને પાંચ વર્ષ રાજ્યની સેવામાં રહ્યા.એવા જ કચ્છ માંડવીના જાણીતા
લેખક અને ડોક્ટર જયંત ખત્રી પણ ગરીબ દર્દી આવે તો નિઃશુલ્ક સેવા તો આપે જ પણ સામેથી
પોતાના ખિસ્સામાંથી ફળો લેવાના પૈસા આપતા.
એક સારા ડોક્ટર સમાજને મળવા એ મોટી વાત છે.કોઈ માતા પિતા તેમના પુત્રને ડોક્ટર
બનાવવાનો સંકલ્પ કરે ,ત્યાંથી તેની શરૂઆત થાય.ધોરણ બાર અને નીટ જેવી સ્પધાત્મક
પરીક્ષામાં ખુબ ઉંચુ મેરીટ લેવા માટેની રાતદિવસની સખત મહેનત .સારી મેડિકલ કોલેજની
પસંદગી અને મોંઘીદાટ ફી અને હોસ્ટેલ ખર્ચ.પછી અનુસ્નાતક થવા માટેની એવી જ પ્રક્રિયા અને
આગળ ઈચ્છા હોય તો એથી વધારે નિષ્ણાત થવાની વિશેષ ડિગ્રીની મથામણ .વાત અહીં પુરી
નથી થતી.સરકારી કે અન્ય હોસ્પિટલમાં જોડાવાય તતો ઠીક નહીંતર પોતાની હોસ્પિટલ
કરવાનો,મોંઘાદાટ સાધનો વસાવવાનો ને સ્પર્ધામાં ટકવાનો લાંબો સંઘર્ષ તો ખરો જ .એટલે ડોક્ટર ઉંચી ફી લે કે તેમનો
સારવાર ખર્ચ વધારે આવે તો તેમને વગોવવા કે ટીકા કરવી જરાય ઉચિત નથી
પણ તમામ ડોકટર
સાહેબોને કહીએ કે “ સેવા અને માનવતા પ્રિય આ વ્યવસાયમાં આપ જોડાયા
છો તો ઈશ્વર ઉપરાંત સાજા કરેલા દર્દીના આશીર્વાદને આપને મળશે જ.પણ એટલું જરા ધ્યાન
રાખજો કે ઓપરેશનમાં તો જે કાતર વાપરતા હો તે, પણ દર્દીના
ખિસ્સાપર મોટી કાતર ન ફેરવશો.”