Readers

Friday, January 10, 2025

યોગીની આનંદ લહરી - માજીબા પ્રકરણ - 10

                                                        યોગીની આનંદ લહરી - માજીબા 



          માજીબાનો શબ્દ દેહ -સાહિત્ય - અનેક આધ્યાત્મિક પુસ્તકોના અભ્યાસ ,વ્યાખ્યાન અને પછી તેમાંથી આર્ધ અર્ક રૂપે કેટલીક નાની પુસ્તિકા પણ પ્રકાશિત કરેલ.ચુડાલા આખ્યાન  અને ગીતાસાર મુખ્ય છે.તેમણે રચેલાં કેટલાંક ભજનો  તો બહેનોને કંઠસ્થ પણ રહેતાં.. માજીબાના ભાવિક અને સાધકો બધા જ સમુદાયમાંથી આવતા. સામાન્ય જન પણ સાધના અને જીવનના ઉચ્ચ આદર્શ સમજીને અપનાવી શકે તેવી ભાષામાં તેમનું સાહિત્ય છે.' શરીરના મુખ્ય છ ચક્રો ની યોગ સાધનાની સરળ સમજણ માટે ષટચક્ર દર્શન' માટેની પદ્યાત્મક રચનામાં થોડામાં ઘણું ખુબ સરળ રીતે મૂકયું છે.જોઈએ એક બે પંક્તિ – મૂલાંધારના ગણપતિ દેવ ,ચાર પાંખડીને પૂજી કરો સેવ.' ' સ્વાદિસ્થાન ષટ દળ વાલું ,તેના દેવ છે બ્રહ્મા છે  રૂપાળું .' વિશેષ સંદેશ આપતા તેમના રચેલા ગરબા અને ભજનો તો અનેક ભાવિકો કંઠસ્થ રહેતાં.આજે પણ એવા કેટલાય ભાવિક પરિવારોની બીજી ત્રીજી ચોથી પેઢી તેને સાચવે છે -ઝીલે છે.

          તેમની એક વિશેષ રચના એટલે ' પદ્યાત્મક ગીતાસાર 'શ્રીમદ ભગવદગીતાના દરેક અધ્યાયમાંથી સારતત્ત્વ વાળા  શ્લોકોના છંદ બંધારણમાં જ ગુજરાતીમાં અદભુત ભાવાનુવાદ છે.એ વાંચ્યા પછી કોઈપણ વ્યક્તિ એમ ન કહી શકે કે ગીતા સમજવી સામાન્યજન માટે અઘરી છે.. ,એમાંથી પણ થોડું શબ્દ આચમન કરીએ. કૃષ્ણ કહે અર્જુનને ,ક્ષાત્ર ધર્મ સંભાળ ,યુદ્ધ ક્ષાત્ર નો ધર્મ ,યુદ્ધે  ચડો તત્કાળ .{ અ .1 } સ્થિત પ્રજ્ઞ તે જાણીએ ઉર ઉદ્વેગ ન હોય ,ક્રોધ ,રાગ,ભય ટાળીને અંતર આત્મા જોય .{ અ .2 } વધે કામથી ક્રોધ બહુ ,ક્રોધથી મોહ પમાય ,મોહ થકી સ્મૃતિ નો સમૂળો નાશ થઇ જાય.સ્મૃતિના નાશથી બુદ્ધિ પણ લોપાય,જયારે બુદ્ધિ જાય છે ,તે પોતે અફળાય { અ 2 } મોહ માન ના ત્યાગથી ઈચ્છા કરી નિવૃત્ત દ્વન્દવઃ ભહવના ત્યાગથી થાવું કૃતકૃત્ય  {અ 15 }  .

સંકલન કર્તા - દિનેશ લ. માંકડ  ચલિત દુરભાષ  9427960979

વિસ્તૃત વિગત વાંચવા બ્લોગના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 

mankaddinesh.blogspot.com

No comments:

Post a Comment