Readers

Friday, January 10, 2025

યોગીની આનંદ લહરી - માજીબા પ્રકરણ -8

                                                           યોગીની આનંદ લહરી - માજીબા 


            માજીબાના ગુરુ શ્રીમન્ન ન્રુસિન્હચાર્ય - ગુરુ કરાતા નથી હોતા ,તે થઇ જાય છે. માજીબાના ગુરુ  વિષે પણ યોગ જુઓ. પોતે અંજારના .અને ત્રણથી વધારે પેઢીથી પૂર્ણ આસ્થાવાળા .લગ્ન પછી અમદાવાદ..ખુબ જ ધર્મનિષ્ઠ પતિ હાથીરામ .સરકારી કામે પ્રાંતિજ જાય .ત્યાં શ્રી  ન્રુસિન્હચાર્ય સાથે મિલન..સાથો સાથ માજીબાનું પણ શ્રી ન્રુસિન્હચાર્ય સાથે મિલન. હાથીરામ અને માજીબાના પણ ઉત્તમ ગુરુ તરીકે  પૂર્ણ મનોસંકેત અને પછી વડોદરા જઈને મંત્રદીક્ષા . આવાં ધર્મનિષ્ઠ દંપતીના ગુરુ પણ એવા જ હોય ને 19 મી સદી  ભારત દેશની આધ્યાત્મિક સદી બની રહી.1824 માં મહર્ષિ દયાનંદ સરસ્વતી ,1834 માં રામકૃષ્ણ પરમહંસ 1872 માં  મહર્ષિ અરવિંદ. એ જ સદીમાં રમણ મહર્ષિ પણ.અને એ જ ગૌરવગાથામાં 1824 માં ગુજરાતના સુરત જિલ્લામાં ના નાનકડાં ગામ કડાદમાં તેમનો જન્મ..પુત્રના લક્ષણ પારણામાંથી .તીવ્ર સ્મરણ શક્તિ.12 માં વર્ષે શ્રી મધુસુદન શાસ્ત્રીજી  પાસે મંત્રદીક્ષા લઇ 40 દિવસનું અનુષ્ઠાન કરીને મંત્રદેવતાનો સાક્ષાત્કાર કર્યો. યજુર્વેદ અને અનેક શાસ્ત્રોનું ઊંડાણથી અધ્યયન.અને પછી સમાજના ગૃહસ્થોને પ્રવચનો દ્વારા ઉત્તમ સંસાર દ્વારા ઈશ્વર પ્રાપ્તિની દિશામાં સાધના વિષે સમજાવતા.ઈ.સ. 1822 માં વડોદરામાં શ્રેય સાધક અધિકારી વર્ગની સ્થાપના.અનેક વિદ્વાનો ,ચિંતકો અને રાજવીઓ  તેમની પાસે આવી વિશદ ચર્ચામાં જોડાતા. ગૃહસ્થાશ્રમને શુદ્ધ કરી,સંયમશીલ બનાવી નવી પ્રેરણા આપી શ્રેયસાધના કરીને નવી ચેતના આપવામાં તેમનો ગુજરાતમાં ખુબ મોટો ફાળો છે.

           શ્રી ચુનીલાલ ભાઈ ઓઝાએ તેમના જીવન પર પુસ્તક લખેલ છે જેમાં શ્રી ન્રુસિન્હઆચાર્યજીના શિષ્યોએ અનુભવેલા કેટલાક વિશેષ પ્રસંગોનો પણ ઉલ્લેખ છે.જેવા કે માજીબા અને પતિ હાથીરામભાઇ એક વખત અમદાવાથી વડોદરા તેમના આશ્રમે ગયેલાં.અને બાપજી { ગુરુજી }ને અમદાવાદ ઘેર આવી પ્રસાદ લેવા નિમંત્રણ આપ્યું.ગુરુજીએ તરત જ ઉત્તર વાળ્યો ,આજે રાત્રે નવ વાગ્યે અચૂક આવું છું.'માજીબા તો વળતી બસમાં તરત અમદાવાદ આવી ગયાં. વડોદરા  અમદાવાદનું ખાસું અંતર અને તે સમયની અલ્પ વાહન સુવિધા છતાં - ' આજે જ આવશે' -  તેવું સાંભળી ને આશ્ચર્ય તો થયું છતાં ગુરુજી પરની અતૂટ શ્રદ્ધા અને નિષ્ઠા હોવાથી ,તેઓએ પૂર્ણ તૈયારી કરી. આસન પાથરી ,ગુરુજીનો ફોટો મૂકીને રાહ જોતાં હતાં.એક ચિત્તે પ્રભુ સ્મરણ ચાલુ હતું.આપેલો સમય વીતી ચુક્યો હતો..કોઈ અણસાર નહોતો.બંને ગદગદિત થઇ પ્રાર્થના વધારતાં ગયા .અચાનક આખો રૂમ તેજથી ભરાઈ ગયો.એક પછી એક દેવી દેવતાઓ હાજર થતાં ગયા.માજીબા ને હાથીરામભાઈ પહોળી આંખોએ દર્શન કરતાં ગયા અને પ્રણિપાત કરતાં ગયા. પ્રકાશ ગયો.સહુ દેવી દેવતા અલોપ થયાં ફરી તેજસ્વી પ્રકાશ સાથે આસન પર મુકેલો ગુરુજીનો ફોટો મોટા અવાજ સાથે ફાટ્યો અને ગુરુજી સદેહે પ્રગટ થયા.પોતાને વિલંબ થવા બદલ સહજ સસ્મિત સાથે પૂછયું .ભાવપ્રસાદ લઈને લિન થઇ અદૃશ્ય થઇ ગયા.માજીબા જયારે આવા પ્રસંગો કહેતાં ત્યારે ગદ ગદ  થઇ જતાં.અને કહેતાં કે 'બાપજી{ ગુરુજી } ના કહેવા પ્રમાણે તો શિષ્યોના ભાવનો આ અવિર્ભાવ જ છે.'. .  આજે પણ વડોદરા ખાતે શ્રેયસાધક મંડળ -આશ્રમ શ્રી ન્રુસિન્હઆચાર્યજીના યોગ સાધનાના વિચારોનો પ્રસાર કરે છે

સંકલન કર્તા - દિનેશ લ. માંકડ  ચલિત દુરભાષ  9427960979

વિસ્તૃત વિગત વાંચવા બ્લોગના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 

mankaddinesh.blogspot.com 

No comments:

Post a Comment